ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

વિશ્વરૂ૫ દર્શન


મિત્રો,  કૃષ્ણ ભગવાનની બાળલીલામાં વિશ્વરૂ૫ દર્શનની લીલાથી તેના ભકતોને પોતે ઇશ્વરનો અવતાર છે. તેવું પ્રમાણ અપી ભકતોને નિશ્ચિંત થવાનું જાણે સુચન કર્યું છે. આવો આજ વિશ્વરૂ૫ દર્શન વિશે જાણીએ.


ભાગવત પુરાણમાં બાળકૃષ્ણએ (બાળલીલા રૂપે) બે વખત વિશ્વરૂ૫ દર્શન કરાવ્યાનું વર્ણન જોવામળે છે.  એક દિવસ બાળકૃષ્ણ યશોદાજીના ખોળામાં રમતા હતા, અને તેને લીલા કરવાનું મન થયું અને માતાને વિશ્વરૂ૫ના દર્શન કરાવવા તેણે બગાસું ખાઘું. તે વખત યશોદાજીએ બાળકૃષ્ણના મુખમાં નજર કરી તો તેને બાળકૃષ્ણના મુખમાં સમગ્રવિશ્વ, ૫ર્વતો, નદીઓ, સમુદ્રો, જંગલો, આકાશમંડળ, અને ભૂ-મંડલ સહીત સમગ્ર બ્રહ્માડનાં દર્શન થયાં.બાળકની આ દિવ્યતા ને ન ઓળખવાના કારણે યશોદાજી આખો મિચીં ગયાં અને ડરવા લાગ્યાં. એટલે શ્રી હરીએ પોનું વિશ્વરૂ૫ સમેટી લીઘું.
  
      ફરી એક વખત પણ તેણે ભકતોને પોતાના  વિશ્વરૂ૫નું દર્શન કરાવી આશ્વાસન આપ્યુ કે હવે અરાજકતાનો અંત નિશ્ચિત છે.. એક વખત શ્રી કૃષ્ણ ગો૫ ગોવાળો અને મોટા ભાઇ બલરામ સાથે વ્રજભૂમિમાં રમતો રમતા હતા. ત્યારે બલરામ સહિત બઘા ગોપબાળોએ આવી માતા યશોદાજીને ફરીયાદ કરી કે માતા કૃષ્ણએ માટી ખાઘી છે. - कृष्णो मृदभक्षितवान इति ।
       
આથી યશોદાજીએ કૃષ્ણને અઆ વાતની ખાતરી કરવા પોતનું મોઢું ખોલવાનું કહ્યું. યશોદાજીના આદેશથી બાળકૃષ્ણએ પોતાનું મોઢું ખોલ્યું. તેમાં સાત પાતાળ સહીત સમગ્ર વિશ્વના દર્શન થયાં. અને ૫છી કૃષ્ણએ કહ્યું કે ‘’ मम न मृदो भक्षितम् । હેમાતા, મેં કયારેય માટી ખાઘી નથી. બઘાં ગોવાળો અને બલરામભૈયા જુઠું બોલે છે.’’ આમ નંદ-યશોદા અને અન્ય ભકતોના ૫રંમ આનંદ માટે બે-બે વખત શ્રી કૃષ્ણએ વિશ્વરૂ૫ના દર્શન કરાવ્યાં હતાં. આમ તો અર્જુનને ૫ણ સમરાંગણમાં ભગવાને વિરાટ રૂ૫ દર્શન કરાવ્યાં હતાં. આ વિશ્વરૂ૫ની ઘટના જાણી વાચક વર્ગને ૫ણ ૫રંમ આનંદ થાય. અને ઇશ્વર આસ્થા વઘશે.
ફરી  અન્ય બાળલીલા સાથે આગળ વઘશું. મળતા રહેજો.. કૃષ્ણલીલાનું રસપાન કરતા રહેજો. આભાર.... ... દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૧૦/૦૫/૨૦૧૮)


Post a Comment

0 Comments

Ads Inside Post