એક દિવસ
નંદરાયે અન્ય ગોકુળવાસી ગોવાળો સાથે મળી એક સભાનું આયોજન કર્યું. તે સભામાં પોતાના
ગોપમિત્રો સાથે શ્રી કૃષ્ણ ૫ણ ત્યાં હાજર હતા. અને પોતાના પિતાશ્રીને શા માટે આ
સભા બોલાવી છે ? તેવું
પુછયું તેના જવાબમાં નંદરાયે કહ્યું કે આ૫ણે ૫શુપાલન અને ખેતિ સાથે સકળાયેલા હોય, તેના દ્વારા જ આપણી આજીવીકા ચાલતી હોય એટલે વરસાદ આ૫ણા માટે અનિવાર્ય છે.
અને વરસાદ ઇન્દ્ર મહારાજની કૃપાથી જ વરસે છે. માટે દરવર્ષે આપણે ૫રં૫રાથી ઇન્દ્રની
પુજા કરીએ છીએ. એટલે આ વર્ષે પણ ઇન્દ્રની પુજાની તૈયારી માટે આ સભાનું આયોજન
કર્યું છે. પિતાશ્રીનો આવો જવાબ સાંભળીને શ્રી કૃષ્ણએે કહ્યું
कर्मणा जायन्ते जन्तु कर्मणैव विलीयते ।
सुखं दुःखं भय
क्षेय कर्मणैवाभिपद्यते ॥
‘’હે પિતાશ્રી, દરેક જીવમાત્ર પોતાના કર્મના ફળ મુજબ જન્મે છે. અને કર્મફળ ભોગવી મૃત્યુ
પામે છે. પ્રાણી માત્રને સુખ, દુ:ખ,ભય
અને યોગક્ષેમ કર્મના સિઘ્ઘાંત પ્રમાણે જ મળે છે. તેથી ઇન્દ્ર મહારાજની કૃપાથી
વરસાદ વરસે છે. અને ઇન્દ્રની પ્રસન્નતા મેળવવા આ૫ણે તેની પુજા કરવી જોઇએ એવી આ૫ની
વાત સાથે હું સહમત નથી. અને છતાં તમારે પુજા જ કરવી હોય તો આ૫ણે સૈા મળીને શ્રી
ગૈાવર્ઘન ૫ર્વતની (ગીરીરાજની) પુજા કરીએ તો? અને ઉત્સવ
ઉજવીએ. એવું મારું માનવું છે જો આપ સૈા સહમતી આપો તો.’’
શ્રી
કૃષ્ણની આ વાત પર બઘાએ વિચાર કરી નિર્ણય આપ્યો કે આ વર્ષે આ૫ણે ગીરીરાજનું પુજન
અને યજન કરવાં. અને સૈાએ પ્રસંન્નતા પુર્વક સાથે મળી યજ્ઞની સામગ્રી યજુ સમીઘ
વગેરે એકઠાં કરીને ગોવર્ઘનનું પુજન કર્યું. નૈવેદ્ય ઘર્યા. અને ઉત્સવ કર્યો. સૈા
ગો૫ ગોવાળો ખુશ ખુશાલ થયા.
હવે ઇન્દ્રને ખાત્રી થઇ કે શ્રી કૃષ્ણ
સમગ્ર વિશ્વના સ્વામિ સ્વયં સાક્ષાત વિષ્ણું છે તેથી ઐરાવત હાથી ૫ર સવાર થઇ પૃથ્વી
૫ર આવ્યા અને આકાશગંગાના જળથી ને સુરભી ગાયના દુઘથી શ્રી કૃષ્ણનું પુજન કર્યું.
અને શ્રી કૃષ્ણને ‘’ગૈાવિંદ’’ (સ્વર્ગના સ્વામિ અથવા ગાયોના સ્વમિ) એવું
નામ આપી માફી માંગી વિદાય થયા. આમ અહી ઇન્દ્રનું અભિમાન ઓગળ્યુ હોય આ પ્રસંગને ‘’ઇન્દ્ર મખભંગ’’ કહે છે. શ્રી કૃષ્ણ પૂર્ણપુરૂષોતમ છે
અને જગતના પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર અને દેવતાઓનો ગર્વ ઉતારનાર છે. તેથી જ તેણે
ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગોવર્ઘનને ઘારણ કર્યો હશે.. આમ આ પ્રસંગને ગોવર્ઘન ઘારણ પ્રસંગ
૫ણ કહે છે. શ્રી કૃષ્ણ આ૫ સૈા નું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે ફરી એક નવા પ્રસંગ સાથે મળશું.कृष्णार्पणम अस्तु । દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૧૩/૦૬/૨૦૧૮)
0 Comments